Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

૫૦૦ કરોડના મહાત્મા મંદિરની જાળવણી હવે હોટેલ ધ લીલા વેન્ચર્સ કરશે

ગાંધીનગર,તા.૭: નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા ગાંધીનગરમાં ૫૦૦ કરોડમાં તૈયાર થયેલા મહાત્મા મંદિરની જાળવણી પ્રાઇવેટ કંપની એટલે કે ધ લીલા વેન્ચર્સ લિમિટેડને આપી દીધી છે. ગુજરાત સરકાર મહાત્મા  મંદિરની જાળવણીમાં પહોંચી ન વળતાં એને મેઇન્ટેન રાખવા અને ઈન્ડિપેન્ડન્ટ વાયેબિલિટી વધારવા તેમ જ મહાત્મા મંદિરને ઇન્ટરનેશનલ સ્ટાઇલથી ચલાવવા લીલા વેન્ચર્સ લિમિટેડને સંચાલન તેમ જ જાળવણીનું કામ સોંપી દેવામાં આવ્યું છે.

(11:33 am IST)