Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

કોંગ્રેસ અને ઊંઝાનું ધારાસભ્યપદ ફગાવનાર ડો,આશાબેન પટેલ ડે ,સીએમ નીતિનભાઈ પટેલને મળ્યા :ભાજપમાં જોડાવવા નિર્ણય

અમદાવાદ :કોંગ્રેસ અને ઊંઝાનું ધારાસભ્યપદ છોડનારા ડો.આશાબહેન પટેલે ભાજપમાં જોડાવા અંગે સ્પષ્ટતા કરી છે. ઉંજામાં કાર્યકરો સાથે બેઠક બાદ આશા પટેલે કહ્યું કે મારા કાર્યકરો કહેશે તે પ્રમાણે હું કરીશ, સાથે તેઓએ કહ્યું કે ભાજપમાં જોડાવવાનો નિર્ણય ચોક્કસપણે લેવાય ગયો છે.

  પત્રકાર પરિષદ બાદ આશાબહેન ગાંધીનગર ખાતે નીતિન પટેલને મળવા માટે પહોંચી ગયા હતા.

  ઉંજામાં સંબોધન દરમિયાન આશા પટેલે કહ્યું કે હું સ્વમાનની ભૂખી વ્યક્તિ છું, મેં સ્વમાનની ખાતર બલીદાન આપ્યું છે. મારી અનેક રજૂઆતો બાદ પણ કોંગ્રેસે કોઇ પગલા લીધા હતા, કોંગ્રેસમાં મારું અપમાન થયું છે. આથી કાર્યકરોએ કહેવાથી મેં રાજીનામું આપ્યું છે

(10:00 pm IST)