Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ખેતપેદાશોના સંગ્રહ માટે નવા ગોડાઉન પુરા પાડવા વિજયભાઈ રૂપાણીએ કેન્દ્રીય કૃષિમંત્રીને પત્ર પાઠવ્યો

ટેકાના ભાવે ખેતપેદાશોની થતી ખરીદીના સંગ્રહણ માટે રાજ્ય સરકારની સમસ્યા અંગે મુખ્યમંત્રીએ લખ્યો પત્ર

ગાંધીનગર:રાજ્યમાં ખેતપેદાશોના સંગ્રહ માટે નવા ગોડાઉન પુરા પાડવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેન્દ્દ્રિય કૃષિમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખેત પેદાશોની ખરીદી કરાઈ છે પરંતુ તેના સંગ્રહની કેટલીક સમસ્યાઓ છે.ત્યારે મુદ્દે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેન્દ્રીય કૃષિમંત્રીને પત્ર લખ્યો છે.
 
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પત્રમાં લખ્યું છે કે,સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી,કપાસ સહિતની ખેત પેદાશોની ખરીદી કરવામાં આવી રહી છે.પરંતુ તેના સંગ્રહ માટે પુરતા ગોડાઉન નથી જેથી કરીને નવા ગોડાઉનો પુરા પાડવામાં આવે
   અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની સરકાર દ્વારા તાજેતરમાં ખેત પેદાશોની ખરીદી કરવાની જાહેરાત કરી હતી પરંતુ ખેતપેદાશોના સંગ્રહને લઇને રાજ્ય સરકાર મુશ્કેલીમા મુકાતા કેન્દ્રને રજૂઆત કરતો પત્ર લખ્યો હતો.

(12:06 am IST)