Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

પાલનપુર પાસે બે જીપ વચ્ચે ટક્કરઃ ૪ મુસાફરના મોત

અમદાવાદઃ પાલનપુર-અમીરગઢ રોડ ઉપરના ડાભેલી ગામ પાસે બે જીપ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ૪ મુસાફરોના મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહીતી મુજબ  પાલનપુર-અમીરગઢ રોડ પર ડાભેલી ગામ પાસેથી મોડી રાત્રે પસાર થઇ રહેલી એક જીપ સામેથી આવી રહેલી અન્ય એક જીપ સાથે જોરદાર ધડાકાભેર અથડાતાં આ ગમખ્વાર દ્યટના બની હતી. આ અકસ્માતમાં બંને જીપનો કચ્ચરદ્યાણ બોલી ગયો હતો.

કમાન્ડર જીપમાં બેઠેલી ત્રણ આદિવાસી મહિલા અને એક યુવાનનું ગંભીર ઇજાઓ થવાથી દ્યટનાસ્થળે જ મોત થયું હતું. જયારે જીપમાં બેઠેલ અન્ય દસ મુસાફરોનો અદ્બુત બચાવ થયો હતો. જીપમાં બેઠેલા પ્રવાસીઓ આદિવાસી મજૂર હોવાનું જાણવા મળે છે.

બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક દ્યટનાસ્થળે પહોંચી લાશોને પીએમ માટે પાલનપુરની હોસ્પિટલ ખાતે ખસેડી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓના નામ-સરનામાં હજુ સુધી જાણવાં મળ્યાં નથી. આ દ્યટનાને પગલે રોડ પરનો ટ્રાફિક કલાકો સુધી જામ થઇ જતાં અનેક વાહનચાલકો હાલાકીમાં મુકાઇ ગયા હતા.

(4:57 pm IST)