Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

જયંતિ ભાનુશાળી હત્યા કેસ : મુખ્ય આરોપી છબીલ પટેલના 15 દિવસના વચગાળાના જામીન મંજૂર

અગાઉ ભચાઉ સેસન્સ કોર્ટે છબીલ પટેલની જામીન અરજી ફગાવી દીધી હતી

અમદાવાદ : ભાજપના આગેવાન જયંતી ભાનુશાળીની હત્યાના આરોપી ભાજપના નેતા છબીલ પટેલના પિતાનું અવસાન થયું છે. જેથી વચ્ચગાળા જામીન મેળવવા તેણે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી. જસ્ટીસ વી.એમ.પંચોલીએ તેનના 15 દિવસના જામીન મંજૂર કર્યા હતાં.

   આરોપીના પિતા નારણભાઈનું 28મી ડિસેમ્બરે મોત નીપજ્યું હતું. અગાઉ ભચાઉ સેસન્સ કોર્ટે છબીલ પટેલની જામીન અરજી ફગાવી દીધી હતી. જેથી જામીન મેળવવા આ કેસના મુખ્ય આરોપી છબીલ પટેલે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી

આ કેસમાં માસ્ટર માઈડ ગણાતી મનીષા ગોસવામીને પણ પોલીસે ઝડપી પાડી હતી.ગત 7મી જાન્યુઆરીએ સયાજીનગર એક્સપ્રેસ ટ્રેનના ફસ્ટ AC કોચમાં ભાનુશાળીની હત્યા કરાઈ હતી. આ સમગ્ર હત્યાકાંડમાં મનિષા ગોસ્વામી અને પૂર્વ ધારાસભ્યં છબીલ પટેલ મુખ્ય આરોપી છે.

(8:46 pm IST)