Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

બાળકોના મૃત્યુ અંગે કોંગી નેતાઓના આંકડા સત્યથી વેગળાઃ નીતિન પટેલ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૭ :. રાજ્યમાં આરોગ્ય ખાતાનો કાર્યભાર સંભાળતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે આજે પત્રકારો સાથેની વાતચીતમાં સરકારી હોસ્પીટલોમાં બાળ મૃત્યુ અંગેના કોંગી નેતાઓના દાવાને સત્યથી વેગળા જણાવેલ. તેમના મતે અમીત ચાવડા અને પરેશ ધાનાણી પાસે સાચી માહિતી નથી.

નીતિન પટેલે જણાવેલ કે, ગુજરાતમાં બાળ મૃત્યુનો દર ઘટી રહ્યો છે અને વધુ ઘટાડવા માટે સરકાર પ્રયત્નશીલ છે. બાળ મૃત્યુ માટે એકથી વધુ કારણો જવાબદાર હોઈ શકે. કોંગ્રેસના જવાબદાર આગેવાનોએ આ અંગેના જે આંકડા આપ્યા છે તે ખોટા છે.

(4:02 pm IST)