Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

અંકલેશ્વર રાજપીપળા રોડ પર લાકડાના માર્કેટમાં આગ ભભૂકી :લાખોનું નુકશાન

અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ લાકડાના માર્કેટમાં મોડી રાત્રિના સમયે કોઇ આગમ્ય કારણોસર આગ લાગી હતી. આ આગ લાગવની જાણ સત્તાધિશોએ ફાયર વિભાગને કરી હતી. જેથી ચાર જેટલા ફાયર ફાયટરોએ ઘટના સ્થળે દોડી જઈ દોઢ કલાકની ભારે જહેમત બાદ આ આગ પર કાબુ મેળવ્યો હતો.

 લાકડાના માર્કેટમાં આગ લાગવાના લાકડાનો જથ્થો બળીને ખાખ થઈ જતા માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયુ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

(7:54 pm IST)