Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ભુપેન્દ્રભાઈ પણ રબર સ્ટેમ્પ છે.સીઆર પાટીલનું ગુજરાતમાં શું કામ છે.? : ભાજપ પર ભરતસિંહ સોલંકીના આકરા પ્રહાર

સમારોહમાં ભરતસિંહ સોલંકીએ કહ્યું-- આપણે આવા સીઆર પાટીલ કે કૈલાસનાથનનું રાજય ચલાવવા દેવું છે?

અમદાવાદ : કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ ભાજપ પર પ્રહાર સમારોહમાં હાજર ભરતસિંહે જણાવ્યું કે, કોંગ્રેસને સુખ અપાવે એવા સુખરામભાઈ આવ્યા છે. બાકીના કાર્યકારી પ્રમુખ અને કમિટીઓ નિમણુંક રઘુ શર્માજી કરે છે. ભાજપ પ્રહાર કરતા કહ્યું કે, ભુપેન્દ્રભાઈ પણ રબર સ્ટેમ્પ છે.સીઆર પાટીલનું ગુજરાતમાં શું કામ છે.પાટીલ સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ રજયનો વહીવટ કરે છે. અહીંયા રાજ ચલાવવાવાળો ગુજરાતી જોઈએ મહારાષ્ટ્રમાં જે કરે એ કરે. 2013માં રિટાયર્ડ કરેલા કૈલાસનાથન પણ રાજ્ય ચલાવે છે. આપણે આવા સીઆર પાટીલ કે કૈલાસનાથનનું રાજય ચલાવવા દેવું છે? ગુજરાતમાંથી સીઆર પાટીલ જેવાનું રાજ ના ચાલવા દેવું જોઈ અને 2013ના મુખ્ય અધિકારીઓ જેવાનો વહીવટ બંધ કરવો.

(9:40 pm IST)