Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

નસવાડીના જિતપુરા ગામે વીજ લાઈનનો કરંટ લાગતા ખેડૂતનું મોત

MGVCL ને રજૂઆત કરવા છતાંય વીજતાર ઉંચા ન કરાયા હોવાનો પરિવારજનોનો આરોપ

 

નસવાડીના જિતપુરા ગામે વીજ લાઈનનો કરંટ લાગતા ખેડૂતનું મોત થયું હતુ. વીજ લાઇનના વાયરો નમી ગયેલા હોવાથી નસવાડી MGVCL ને રજૂઆત કરવા છતાંય ઉંચા કરાયા હોવાનો આરોપ લાગ્યો છે.

 ઘરના મોભીનું અચાનક મોત થતા પરિવારના લોકો દુખમાં ગરકાવ થઇ ગયા છે. નસવાડી પોલીસે તપાસ કરી ખેડૂતની લાશને પીએમ માટે ખસેડ્યો હતો.

(10:20 pm IST)