Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ડૉ.બાબા સાહેબ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિત્તે વિરમગામમાં રક્તદાન કેમ્પ યોજાયો

વિરમગામ : અમદાવાદ જીલ્લાના વિરમગામમાં ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ડૉ.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિત્તે એપીએમસી વિરમગામ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં ગુજરાત રાજ્ય યુવક બોર્ડ અને અનેક કાર્યકર્તા, મિત્રો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું

  . આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ડૉ.તેજશ્રીબેન પટેલ, વિરમગામ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નરેશભાઇ શાહ, વિરમગામ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિરીટસિંહ ગોહીલ, મનુભાઈ પરમાર, હિતેશભાઈ મુનસરા, દિપકભાઈ પટેલ, નિલેશભાઇ ચૌહાણ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલા, પોલીસ સ્ટાફ સહીતના લોકો ઉપસ્થિત રહ્યા હતા

  . આ ઉપરાંત ગુજરાત રાજ્ય યુવક બોર્ડ વિરમગામ તાલુકા સંયોજક રસિકભાઈ કોળી, જગદીશભાઈ રાવળ, વિરમગામ નગર સંયોજક કિરણભાઈ સોલંકી અને નિલેશભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા

(7:37 pm IST)