Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

બિન સચિવાલય પરિક્ષા રદ ન થાય તો વિધાનસભાને ઘેરાવઃ પરેશ ધાનાણી

અમિતભાઇ ચાવડા, હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેઘાણી સહિતનાનો આંદોલનને ટેકોઃ રદ ન થાય ત્યાં સુધી ધરણા

પ્રથમ અને બીજી તસ્વીરમાં અમિતભાઇ ચાવડા, પરેશભાઇ ધાનાણી, હાર્દિક પટેલ સહિતના નજરે પડે છે.

રાજકોટ તા. ૬ : બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી, કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી સહિતનાએ આ આંદોલનને ટેકો આપ્યો છે. ત્યારે પરેશભઇ ધાનાણીએ 'અકિલા' ને જણાવ્યુ હતું કે જયાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય ન મળે ત્યાં સુધી ધરણા ચાલુ રખાશે. અને પરીક્ષા રદ ન થાય તો તા. ૯ ડીસેમ્બરે વિધાનસભાને ઘેરાવ કરાશે.

બિન સચિવાલય આંદોલનમાંૈ વિદ્યાર્થી નેતા બનેલા યુવરાજ સિંહ પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે ચાલુ કરેલુ આંદોલન અધવચ્ચે જ સંકેલીને ચાલતી પકડી છે. જેના કારણે તેની સાથે રહેલા વિદ્યાર્થીઓ અવઢવમાં મુકાયા છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થી જુથોમાં બે ફાટ પડી ચુકી છે. એક જુથ મેદાન છોડીને જતુ રહ્યું છે. જયારે બીજા જુથે કોંગ્રેસી નેતા હાર્દિક પટેલ અને પરેશ ધાનાણી સહિતની નેતાઓનો સંપર્ક કર્યો હતો. જેના કારણે તમામ કોંગ્રેસી નેતાઓ વિદ્યાર્થીઓની પડખે ઉભા રહ્યા હતા. હાલ હાર્દિક પટેલ, પરેશ ધાનાણી કોંગ્રેસ ગુજરાત પક્ષ પ્રમુખ અમિત ચાવડા પણ ત્યાં પહોંચી ચુકયા છે. બીજી તરફ પરેશ ધાનાણીએ પરીક્ષા રદ નહી કરવામાં આવે ત્યાં સુધી ત્યાં જ બેસવાની જાહેરાત કરી છે.

પરીક્ષા દર કરવાની માંગ સાથે ચાલુ થયેલુ આંદોલન એક પ્રકારે હવે રાજકીય રંગ પકડવા લાગ્યું છે. ગોપાલ ઇટાલિયા, હાર્દિક પટેલ, પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિતનાં નેતાઓ પહોંચી ચુકયા છે. ગાંૅધીનગરનાંસ્થાનિક કોંગ્રેસી આગેવાનો પણ ધીરે ધીરે એકત્ર થવા લાગ્યા છે. જેથી એક તબક્કા સાવ તુટી ચુકેલું લાગતું આંદોલન પાછુ જામવા લાગ્યું છે. વિદ્યાર્થીઓ ફરી એકવાર એકત્ર થવા લાગ્યા છે. તેઓ હવે પરીક્ષા રદ કરવાની માંગ સાથે ફરી એક વાર ધરણા પર બેસી ગયા છે. આ ઉપરાંત તમામ વિદ્યાર્થીઓને ૯ ડિસેમ્બરે  વિધાનસભા કૂચ કરવા માટેનું પણ આહ્યાન કર્યુ છે.

બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ્દ કરવા મુદ્દે વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીનગરમાં મોટુ આંદોલન ચલાવાઇ રહ્યું છે. જેમાં આ તમામ વિદ્યાર્થીઓનાં નેતા તરીકે જે ચહેરો ઉભરી રહ્યો છે. યુવરાજસિંહ છે. આ વિદ્યાર્થી નેતા તરીકે યુવરાજસિંહ સમગ્ર આંદોલનનું સંચાલન કરી રહ્યો છે. આ ઉપરાંત તેણે અનેક વખત આસિક વોરાને મળીને રજુઆત કરી હોવાનો પણ દાવો કરી રહ્યો છે. તો સરકાર સાથેની મંત્રણામાં પણ તે તમામ વિદ્યાર્થીઓનો પ્રતિનિધિ બનીને ગયો હતો. જો કે આ યુવરાજસિંહ મંત્રણામાં પણ તે તમામ વિદ્યાર્થીઓનો પ્રતિનિધિ બનીને ગયો હતો. જો કે આ યુવરાજસિંહે પોતે જ બિન સચિવાલય કલાર્કની પરીક્ષા જ નહીં આપી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

(11:42 am IST)