Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

સુરતમાં ખાનગી ટ્રાવેલ્સની ચાર બસોમાં આગ: ત્રણ બસો બળીને ખાખ

સુરત:શહેરના અડાજણ પાસે ચાર બસોમાં આગ લાગી જવાની ઘટના બની હતી. સુરતના પાલ ગામ નજીક 4 જેટલી ખાનગી ટ્રાવેલર્સની બસોમાં આગ ચાંપી દેવાની ઘટના બની હતી. કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આ બસોમાં આગ લગાવી દેવામાં આવી હતી. જો કે ફાયર ફાઈટરની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગના કારણે 3 બસો બળીને ખાખ થઈ ગઈ હતી.

 

(5:47 pm IST)