Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ખાતરી સમિતિ ૧૩મીથી સાપુતારા પ્રવાસે

અમદાવાદ,તા.૬ : રાજ્ય સરકારે આપેલી ખાતરીઓ સંદર્ભે ગુજરાત વિધાનસભા દ્વારા રચાયેલી ખાતરી સમિતિનો આગામી તા. ૧૩ થી ૧૫ નવેમ્બર ૨૦૧૯ના રોજ ત્રણ દિવસ માટે ઉદ્યોગ અને ખાણ વિભાગ-પ્રવાસન પ્રભાગ હસ્તકના ડાંગના સાપુતારા ખાતેનો નિરિક્ષણ અને સ્થળ અભ્યાસ પ્રવાસ કરશે, એમ ગુજરાત વિધાનસભા, સચિવાલયની યાદીમાં જણાવાયું  છે. સમિતિ તા.૧૩મી નવેમ્બરે બપોરે ૪.૦૦ કલાકે ગાંધીનગરથી નિકળી સુરત જવા રવાના થશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે. આ સમિતિ તા.૧૪મી નવેમ્બરે સવારે ૯.૦૦ કલાકે નીકળી, ગિરા ધોધ, વઘઈ થઈને સાપુતારા જવા રવાના થશે. સાપુતારા ખાતે પ્રવાસન સ્થળોના વિકાસ કામોની મુલાકાત, ખાતરી અંગેની તપાસ, અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી રાત્રિ રોકાણ કરશે. આ ઉપરાંત તા.૧૫ નવેમ્બરના રોજ સવારે ૮.૦૦ કલાકે સમિતિ શબરીધામ જવા રવાના થશે. જ્યાં શબરીધામ અને પંપા સરોવરની મુલાકાત લેશે. આ સમિતિ ત્યારબાદ ગાંધીનગર આવવા રવાના થશે, એમ વધુમાં જણાવાયું છે.

(9:28 pm IST)