Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

દિવાળી તહેવારોમાં અમદાવાદની સરકારી હોસ્પિટલમાં ઇમર્જન્સી સારવાર માટે ડોકટરોએ હાજર રહેવું ફરજીયાત

અમદાવાદ :દિવાળીના પર્વ પર રજાના માહોલ દરમિયાન અમદાવાદ નગરપાલિકાની હોસ્પિટલ્સમાં ડૉક્ટરોને ફરજ પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. દિવાળીના પર્વ પર બન્સ તેમજ અન્ય ઇમરજન્સીના કેસ આવતા હોય છે. ત્યારે કેટલીક વાર એલ જી, વી એસ, શારદાબહેન જેવી  હોસ્પિટલમાં  ડોક્ટરોની ગેરહાજરી હોવાથી દર્દીઓને સહન કરવું પડે છે. આ પરિપત્ર બાદપણ ગેરહાજર રહેનારા ડોકટરો સામે કાર્યવાહી કરવાની ચીમકી પણ તંત્રએ ઉચ્ચારી છે. આ સાથે કોર્પોરેશનને લગતી કોઇપણ ઇમરજન્સી સેવા માટે કન્ટ્રોલરૂમનો ફોન પર પણ સંપર્ક કરી શકાશે.

(8:29 pm IST)