Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

રાજ્યમાં કોરોના થાક્યો : નવા 69 કેસ નોંધાયા:વધુ 110 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી:મૃત્યુઆંક 11.035 થયો :કુલ 12.63.508 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 21.838 લોકો રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદ અને સુરતમાં નોંધાયા:રાજયમાં હાલમાં 680 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 69 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 110 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,63,508 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,035 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.08 છે

રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 21.838 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,70.57.811 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 680 એક્ટિવ કેસ છે.જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 675 દર્દીઓ સ્ટેબલ છે.  .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 69 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 24 કેસ, સુરત કોર્પોરેશનમાં 12 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 5 કેસ,મહેસાણામાં 4 કેસ, બનાસકાંઠા, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન,સુરત અને વલસાડમાં 3-3 કેસ, નવસારી, સાબરકાંઠા,અને વડોદરામાં 2-2 કેસ, અમરેલી, દાહોદ અને ગાંધીનગર કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયો છે,

(7:43 pm IST)