Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

રૂપાલનુ વાતાવરણ પાવન થશે

ઘણા સ્થળોએ પાર્કિંગની વિશેષ વ્યવસ્થા કરાઈ : રાત્રે ૧૨ વાગ્યાના ટકોરે ધાર્મિક વિધી અને શ્રદ્ધાળુઓના ધસારા વચ્ચે પરંપરાગતરીતે પલ્લી કાઢવામાં આવે છે

અમદાવાદ, તા. ૬  :   નવરાત્રી પર્વના છેલ્લા દિવસે ગાંધીનગર પાસે આવેલા રૂપાલ ગામ નજીક આવતીકાલે વરદાયીની માતાના મંદિરથી અભૂતપૂર્વક ધાર્મિક માહોલ વચ્ચે પલ્લી કાઢવામાં આવનાર છે. પલ્લીની સાથે સાથે નીચે મુજબ છે

*   ગાંધીનગર નજીક રૂપાલમાં પલ્લીને લઇને ધાર્મિક માહોલ

*   આ વખતે અનેક સ્થળો ઉપર પાર્કિંગની ખાસ વ્યવસ્થા કરવામાં આવી

*   ગયા વર્ષે પાંચ લાખ કિલો ઘીનોનો અભિષેક કરવામાં આવ્યો હતો

*   ગયા વર્ષે બે દિવસ દરમિયાન ૧૨ લાખથી વધુ શ્રદ્ધાળુઓ પલ્લી અને મંદિરમાં દર્શનનો લાભ લેવા પહોંચ્યા હતા

*   ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે વરદાયિની માતાનું ભવ્ય મંદિર છે અને નવરાત્રિમાં આસોસુદ નૌમના દિવસે મોડી રાત્રે પલ્લે કાઢવામાં આવે છે

*   સવારમાં પલ્લી માતાજીના મંદિરની સામે બનાવવામાં આવેલા પલ્લી મંદિરમાં પહોંચે છે

*   નવરાત્રીના અંતિમ દિવસે રૂપાલમાં માતા વરદાયિની માતાજીની પલ્લી નિકળે છે

*   હજારો લાખોની સંખ્યામાં ભક્તો દ્વારા ઘીનો અભિષેક કરવામાં આવે છે

*   માત્ર અમદાવાદ અને ગુજરાતના શ્રદ્ધાળુઓ જ નહી બલ્કે અન્ય રાજ્યોના લોકો પણ માતાજીના દર્શન કરવા માટે રૂપાલ પહોંચે છે

*   મોડી રાત્રે ૧૨ વાગ્યાના ટકોરે જ ધાર્મિક વિધી અને શ્રદ્ધાળુઓના જોરદાર ધસારા વચ્ચે પલ્લી કાઢવામાં આવે છે

*   સોમવારના દિવસે સાંજથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રૂપાલ પહોંચી જશે

*   આવતીકાલે સવારથી રૂપાલ તરફ દોરી જતા માર્ગો પર શ્રદ્ધાળુઓ ઉમટી પડશે

*   લોકોના અવિરત પ્રવાહથી રૂપાલનુ વાતાવરણ પાવન બની જશે

*   જય વરદાયિની માતાના જય ઘોષ કરતા પગપાળા શ્રદ્ધાળુઓ માર્ગો પર જોવા મળી રહ્યા છે

*   કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ પગલા લેવામાં આવ્યા છે. વાહનોની ચકાસણી પહેલાથી જ ઝડપી કરવામાં આવી રહી છે

*   ફુડ વિભાગ દ્વારા સાવચેતી રૂપે ઘીના નમુના લેવામાં આવ્યા

*   પલ્લીની શરૂઆત ઉનાવા ગામના ઠાકોર સમાજના લોકો યજ્ઞ કુંડમાં કુદવાની પરંપરા બાદ થાય છે

*   ગામના રસ્તા પર અભિષેક વેળા ઘીની નદીઓ વહેતી થઇ જાય છે

(9:53 pm IST)