Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

સુરતમાં એક મંદિરમાં મળે છે ભક્તોને કોરડાનો પ્રસાદ

સુરતઃ હાલમાં નવરાત્રી ચાલી રહી છે ત્યારે લોકો માતાજીની આરાધના કરતા જોવા મળે છે ત્યારે સુરતમાં માતાજી ની આરાધના જોઈને વિચારતા થઈ જશો. અહીંયા આવનારા ભક્તોને પ્રસાદ માં કોરડા મારવામાં આવે છે અને પ્રસાદ માટે ભક્તો તડપે છે. રતના ગોરબાઈ માતાના મંદિર માં કોરડા નો પ્રસાદ લેવા પડાપડી કરી રહ્યા છે અને કોરડાનો પ્રસાદ ખાઈને ધન્યતા અનુભવે છે સુરત ગોપીપુરાના મોટી છીપવાડ વિસ્તારમાં સદીઓ જૂનું ગોર બાઈમાતાનું મંદિર આવ્યું છે. મંદિરમાં છેલ્લી બે સદીથી કોરડાનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે.

પ્રસાદનું મહત્વ સમજાવતા મંદિરના પૂજારી કહે છે, 'શ્રદ્ધાળુઓને ગોરમાતા પ્રત્યે ભારે શ્રદ્ધા છે.જોકે કોરડા મારતા પહેલા ખીચડો મંદિરમાંથી નીકળે છે પ્રસાદ લૂંટવામાં આવે છે ખીચડામાં રહેલ જવ લોકો પોતાની તિજોરીમાં મૂકે તો બરકત થાય છે જેને લઈને મંદિર માં સાતમ ની અનેરી મહિમા છે.'

લોકો જાણ્યે અજાણ્યે વર્ષ દરમિયાન ભૂલ કરતા હોય તેના પ્રાયશ્ચિતરૂપે અહીં કોરડા નો પ્રસાદ લેવા માટે આવે છે. ઉપરાંત કેટલાક ભક્તોએ માનતા માની હોય તે પૂરી થતાં પણ કોરડાનો પ્રસાદ લે છે. સાતમની રાત્રે માતાજીના મંદિરમાંપૂજા બાદ દૂર-દૂરના વિસ્તારમાંથી કોરડા ના પ્રસાદ માટે ભક્તો આવે છે. કોરડાનો પ્રસાદ ખાનાર ભક્તો એવું માને છે કે પ્રસાદ ને કારણે માતાજીની મહેર થાય છે અને તેમણે જાણ્યે અજાણ્યે કરેલા પાપ દૂર થાય છે અને તેના કારણે માનસિક શાંતિ પણ મળે છે. નવરાત્રી દરમિયાન માતાજીને મીઠાઈ શ્રીફળ નો પ્રસાદ ચઢાવવામાં આવે છે પરંતુ મંદિરે વડી અને સુવાળીના પ્રસાદ સાથે કોરડાનો પ્રસાદ આપવામાં આવે છે. આવા પ્રસાદને કારણે ગોર બાઈ માતાનું મહત્ત્વ બે સદી છતાં પણ યથાવત રહ્યું છે.

જોકે, અહીંયા ખડ પણ આપવામાં આવે છે જેમને સંતાન નથી થતું તેવા દંપતી અહીં આવે છે અને બાધા રાખી ખડ ખાય છે તેમના ઘરે બીજા વર્ષે પારણું બંધાય છે. જોકે, પારણું બંધાય તેવા દંપતી પોતાની બાધા છોડવા માટે પણ આવતા હોય છે. જોકે દિવસની રાહ લોકો આતુરતાથી જોતાં હોય છે. જેમના ઘરે સંતાન થયું હોય તેવા દંપતી પોતાના બાળકને મંદીર દર્શન કરવા લાવતાં હોય છે. 21મી સદીમાં માનવામાં નહીં આવે પણ મંદિર લોકોની આસ્થા સાથે જોડાયેલ છે અને અહીંયા 200 વર્ષથી પ્રકારે ઉત્સવ તરીકે ઉજવાય છે ત્યારે લોકો ની શ્રદ્ધા માતાની આરાધનાનો એજ માતાની આરાધનાનો સૌથી મોટો પુરાવો છે સૌથી મોટો પુરાવો છે

(11:22 am IST)