Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

વિસનગરના પુંદગામમાં ચાલતા કતલખાનાનો પર્દાફાશ : પાંચ મૃત ગાય સહીત અન્ય પશુઓના મૃતદેહ મળ્યા

જાગૃત નાગરિકોએ ભાંડો ફોડ્યો :પોલીસ અને જનતાએ રેડ પડતા કસાઇઓ ફરાર

 

વિસનગરના પુદગામમાં ઘણાં સમયથી ચાલતા ગેરકાયદેસર કસાઈ વાડાને જાગૃત નાગરિકોએ ભાંડો ફોડ્યો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ પુદગામની ગૌચર જમીનમાં ગેરકાયદેસર રીતે મકાન અને વાડો બનાવીને રહેતા કનુ દેવીપૂજકને ત્યાં કંઈક અજુગતું કૃત્ય થતું હોવાની આશંકા થઈ હતી. જે સંદર્ભે વિસનગર પોલીસ અને જનતાએ રેડ પાડતાં અંદાજે 9 જેટલાં શખ્સો દ્વારા ગાય સહિત 5 પશુઓના કતલ કરી કસાઈઓ દ્વારા માંસના કોથળા ભરતા હોવાની ઘટના સામે આવી હતી.

જો કે પોલીસ અને લોકોના ટોળા જોતા તમામ કસાઈઓ ભાગી ગયા હતા. પોલીસે તપાસ કરતા ઘટના સ્થળે 5 મૃત ગાય સહિત અન્ય પશુઓના મૃતદેહ મળ્યા હતા. પોલીસે કસાઈઓના વાહનો કબજે કરી ભાગી ગયેલા લોકોની શોધખોળ શરૂ કરી છે. આ ઉપરાંત વેટરનરી તબીબો અને FSL ટીમની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.

(12:50 am IST)