Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

અમદાવાદના નવરંગપુરામાં જવેલર્સની દુકાનમાં દાગીના બનાવવાનું કામ કરતો કારીગર 55.60 લાખનું સોનુ લઇ ફરાર થઇ જતા અરેરાટી

અમદાવાદ: શહેરના નવરંગપુરામાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં દાગીના બનાવવાનું કામ કરતો કારીગર 55.60 તાળનું સોનુ લઈને ફરાર થઈ ગયો હતો. આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

નારણપુરામાં રહેતા દિનેશભાઈ એસ.સોની નવરંગપુરામાં સી.જી.રોડ પર ગોલ્ડન સિગ્નેચર કોમ્પ્લેક્સમાં આશાપુરા ગોલ્ડ ઓરેનામેન્ટ લિમીટેડ નામથી સોની કામનો વ્યવસાય કરે છે. તેમની દુકાનમાંથી મુળ પશ્ચિમ બંગાળનો અને ખામાસામાં રહેતો સંજુ જી.પાલ સોનાની રણી લઈ જઈને દાગીના બનાવી આપવાનું કામ કરતો હતો.

(5:42 pm IST)