Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

શિક્ષકોના બહુમાન સાથે સંતો અને ઋષિકુમારો દ્વારા શિક્ષક દિનની ઉજવણી

    અમદાવાદ : વરસો સુધી આદર્શ શિક્ષક તરીકે બાળકોને ઉત્તમ શિક્ષણ આપી, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે જેણે નામના મેળવી છે એવા સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન નિમિત્તે ૫મી સપ્ટેમ્બર ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવાયછે

      આ દિવસે દરેક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોનું બહુમાન કરી, શાળામાં શિક્ષણની તથા પ્યુન થી પ્રિન્સીપાલ સુધીની તમામ જવાબદારી સંભાળી વિદ્યાર્થીઓ શિક્ષક તરીકેનો લ્હાવો અને અનુભવ લેતા હોય છે. આવા પ્રાયોગિક આયોજનોથી વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે છે.

      શિક્ષક દિને એસજીવીપી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં  શાસ્ત્રી - આચાર્ય કક્ષામાં ભણનારા સંતોએ શિક્ષક તરીકેની જવાબદારી સંભાળી હતી

    શિક્ષકોના બહુમાન સાથે ભાગ લેનાર તમામ સંતો અને ઋષિકુમારોને શાળા તરફથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

(12:07 pm IST)