Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

અમદાવાદ: શિક્ષણમા શ્રેષ્ઠ કામગીરી બદલ 5 શિક્ષકોનું ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે સન્માન કરાયું

સાથે 18 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું

 

અમદાવાદ : 5 સપ્ટેમ્બરે દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં શિક્ષણમા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 5 શિક્ષકોનું સન્માન કરાયું છે. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે 18 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું. હતું

  ગૃહ રાજ્ય મંત્રીએ શિક્ષકની સમાજમા મહત્વતા અંગે વાત કરી શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી. કાર્યક્રમમા મેયર બીજલ પટેલ, સાંસદ કિરીટ સોલંકી સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા અને શિક્ષકોના મહત્વ અંગે વાત કરી હતી.

(10:51 pm IST)