Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

શિક્ષક દિને ગુરૂજનોનો ઋણસ્વીકાર:શિક્ષક કલ્યાણ નિધિમાં મુખ્યમંત્રીશ્રીએ ફાળો અર્પણ કર્યો

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને ગુરૂવર્યોના સમાજદાયિત્વનો ઋણસ્વીકાર કરતાં શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. 

શિક્ષક કલ્યાણનિધિમાં સ્વૈચ્છિક ફાળો લેવા માટે આજે સવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને ગાંધીનગરની શાળાના બાળકો પહોચ્યા હતા. 

મુખ્યમંત્રીએ તેમની સાથે સહજ સંવાદ સાથે ગુરૂજનો પ્રત્યેના તેમના આદરભાવનું આદાન-પ્રદાન કર્યુ હતું. 

આ વેળાએ જિલ્લા કલેકટર એસ. કે. લાંગા, જિલ્લા વિકાસ અધિકારી રાવલ, મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી ડૉ. રતનચારણ ગઢવી, જિલ્લા પોલીસ અધિક્ષક  મયુર ચાવડા અને અન્ય અધિકારીઓ પણ જોડાયા હતા.

(12:11 am IST)