Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

વડોદરા:પાદરા તાલુકાના મોભારોડ નજીક નાસ્તાની લારી ચલાવતા આધેડની હત્યા પુત્રએ સાગરીતોની મદદ સાથે કરતા ત્રણ શખ્સોની ધરપકડ

ડોદરા: પાદરા તાલુકાના મોભારોડ પર નાસ્તાની લારી ચલાવતા આઘેડની હત્યા તેના પુત્રએ બે સાગરીતોની મદદથી કરી હોવાનું બહાર આવતા પોલીસે પુત્ર સહિત ત્રણની ધરપકડ કરી છે.

અંગેની વિગત એવી છે કે ઉત્તર પ્રદેશના મૂળ વતની પરંતુ મોભારોડ પર ગઇકાલે સવારે ભાથુજી મંદિર પાછળ રહેતા ૫૫ વર્ષના રાજુ રમેશભાઇ જયસ્વાલની એક ખંડેર મકાનમાંથી હત્યા થયેલી લાશ મળી હતી. અંગે મરનારના પુત્ર સમરજીતે વડુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા હત્યાનો ભેદ ઉકેલવા એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી હતી.

પોલીસે ફરિયાદી પુત્રની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેણે તેમજ તેના બે સાગરીતો સુરેશ શિવશંકર ગૌતમ અને ભાનું રમાવત જયસ્વાલની મદદથી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. અંગે પોલીસે જણાવ્યું હતું કે મૃતક રાજુનો નાસ્તાની લારીનો ધંધો સારો ચાલતો હતો પરંતુ તે વતનમાં કે ઘરમાં પૈસા આપતો હતો. જેથી સમરજીતે જો પિતા મરી જાય તો નાસ્તાના ધંધાના પૈસા આપણને મળતા થાય તેમ માની ત્રણેએ હત્યા કરવાનું નક્કી કર્યું  હતું. રાજુ રોજ રાત્રે નવ વાગે કચરો નાંખવા માટે નાસ્તાની કેબિન પાછળના કમ્પાઉન્ડના ખંડેર મકાનમાં જતો હતો જેથી તે સમયે રાજુ કચરો નાંખવા ગયો ત્યારે પાછળ પાછળ જઇને સમરજીતે લોખંડની પાઇપ માથામાં મારી અને ગળે ટૂંપો આપી હત્યા કર્યા કરી હતી.

 

(5:30 pm IST)