Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

વડોદરા:અગમ્ય કારણોસર પુત્રના જન્મદિવસના દિવસે જ માતાએ ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કરતા ચકચાર મચી જવા પામ્યો

વડોદરા: મોટા  પુત્રની બર્થડેના દિવસે માતાએ અગમ્ય કારણસર અનાજમાં  નાંખવાની ગોળીએ ખાઇને આપઘાત કરી લીધો હતો.જે અંગે સમા  પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પી.એમ.રૃમ પર એકઠા થયેલા પરિણીતાના પિયર પક્ષના  લોકોએ સાસરી પક્ષનો ત્રાસ હોવાનો આક્ષેપ કર્યો હતો.જોકે,મોડીસાંજ સુધી બાબતે કોઇ ફરિયાદ થઇ નથી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,શહેરના ન્યુ સમા રોડ  પર જવાહરનગરમાં રહેતા ભરતભાઇ માળી ફૂલમાળીનો ધંધો કરે છે.ગત તા.થી ના રોજ તેમના મોટા પુત્રનો જન્મદિવસ હતો.બપોરે ભરતભાઇ માળી એ.ટી.એમ.માંથી રૃપિયા ઉપાડવા અને નાસ્તો  લેવા માટે બહાર ગયા હતા.તેમના બે પુત્રો મકાનના નીચેના માળે દાદા દાદી સાથે રમતા હતા.જ્યારે તેમની પત્ની સુમિત્રાબેન(ઉ.વ.૩૧) મકાનના ઉપરના માળે હતા.થોડીવાર પછી સુમિત્રાબેને પતિને મોબાઇલ કરીને જલ્દીથી ઘરે આવો  તેમ કહ્યું હતું.થોડીવાર  પછી સુમિત્રાબેને ફરીથી ફોન કરીને પતિને જલ્દી ઘરે આવી જવા માટે કહ્યું હતું.જેથી,ભરત માળીએ પોતાના પિતાને ફોન કરીને ઉપરના માળે જઇને  તપાસ કરવા કહ્યું હતું.ભરત માળીના મોટા  પુત્રએ ઉપરના માળે જઇને તપાસ કરી તો તેની મમ્મી નીચે પડી હતી.જેથી,તેણે બૂમાબૂમ કરતા ભરત માળીના પિતાએ  ઉપરના માળે જઇને જોયું તો તેમની પૂત્રવધુ નીચે પડી હતી.તેણે અનાજમાં નાંખવાની ગોળીઓ ખાઇ લેતા સારવાર માટે છાણી વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.પરંતુ,ટૂંકી સારવાર દરમિયાન સુમિત્રાબેનનું મોત થયુ હતું.સયાજી હોસ્પિટલમાં સુમિત્રાબેનના  પિયર પક્ષના લોકોેએ સાસરિયાનો ત્રાસ હોવાનો  આક્ષેપ કર્યો હતો.પરંતુ,પોલીસના જણાવ્યા અનુસાર,હજી સુધી કોઇ ફરિયાદ કરવા આવ્યું નથી.પોલીસે આક્ષેપો અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(5:29 pm IST)