Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

નગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું

ભોળાનાથના પરમ ભક્ત યોગેશપુરીના શ્રાવણ માસમાં જ અવસાન

 

અમદાવાદ : ગુજરાતનાં પ્રખ્યાત ભજનિક યોગેશપુરી ગૌસ્વામીનું લાંબી બીમારી બાદ દુઃખદ નિધન થયુ છે.કેન્સરની સામે લડતા લડતા તેઓએ પ્રાણ ગુમાવ્યા છે.

ભોળાનાથના પરમ ભક્ત યોગેશપુરીના શ્રાવણ માસમાં અવસાનથી કલાકાર જગતમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

ઉલ્લેખનીય છે કે યોગેશપુરીએ ભોળાનાથનાં અનેક ભજનોથી ખ્યાતી મેળવી હતી. ખાસ કરીને તેમનું ભજન નગર મેં જોગી આયા વિશ્વવિખ્યાત બન્યું

(11:46 pm IST)