Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

અમદાવાદની હોસ્પિટલમાં આગની ઘટના દુઃખદ : ભરત પંડ્યા

રાજકોટ,તા.૬: ભાજપ પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડયાએ જણાવ્યું હતું કે, અમદાવાદની શ્રેય હોસ્પિટલખાતે બનેલ આગની દુર્દ્યટના એ દર્દનાક અને દુઃખદ છે.

તેમાં મૃત્યુ પામેલ લોકોને ભાજપ હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલિ આપે છે. પ્રધાનમંત્રીશ્રી એ ટવીટ દ્વારા પોતાનું દુઃખ વ્યકત કર્યુ છે. મુખ્યમંત્રીશ્રી અને મેયરશ્રી સાથે વાત કરી છે. મૃત્યુ પામેલ લોકોને ૨ લાખ અને દ્યાયલને ૫૦ હજારની સહાયની જાહેરાત કરી છે.ઙ્ગઃ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે પણ આ દ્યટના અંગે પોતાની દુઃખની લાગણી વ્યકત કરી છે.ઙ્ગ

આ હોસ્પિટલનાં બીજાં દર્દીઓને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. આ મામલો અતિ દુઃખદ અને સંવેદનશીલ છે.ઙ્ગ

આ સમગ્ર મામલા માટે સરકાર ગંભીરતાથી પગલાં લઈ રહી છે.ઙ્ગ મુખ્યમંત્રીશ્રીએ મૃતકનાં પરીવારને ૪ લાખ અને ઘાયલને ૫૦ હજારની સહાય કરવાની જાહેરાત કરી છે. આ ઘટનાની તપાસ કરવાં તાત્કાલિક બે અધિકારીની નિમણૂંક કરીને ૩ દિવસમાં જ રીપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું છે. આ દુર્દ્યટનામાં જે પણ કસૂરવાર હશે તેમનાં પર સરકાર કડકમાં કડક કાર્યવાહી કરશે.

(4:45 pm IST)