Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સોકલી ખાતે ભગવાન શ્રીરામની 5 કલાકની અખંડ ધૂન કરવામાં આવી

સંતો દ્વારા 12 કલાકે ભગવાન શ્રીરામનો અભિષેક અને મહાઆરતી પૂજન કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો તે શુભ અવસર પર વિરમગામ તાલુકાના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સોકલી ખાતે ભગવાન શ્રીરામની 5 કલાકની અખંડ ધૂન કરવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સોકલી ખાતે રઘુવીરચરણ સ્વામી, શ્રીજી પ્રકાશ સ્વામી અને શાસ્ત્રી હરિજીવન દાસ સ્વામી વગેરે સંતો દ્વારા 12 કલાકે ભગવાન શ્રીરામનો અભિષેક અને મહાઆરતી કરી પૂજન કરવામાં આવ્યું હતું. સંતો અને ઉપસ્થિત હરિભક્તો દ્વારા અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીના શિલાન્યાસને વધાવવામા આવ્યો અને ખુશી વ્યક્ત કરી હતી.

(10:47 pm IST)