Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

અમદાવાદ: ગાંધીઆશ્રમમાં માનવસાધના ટ્રસ્ટ દ્વારા બનાવાયેલ દિવાલ આશ્રમવાસીઓએ સ્વેચ્છાએ તોડી

દીવાલ ઉભી કરાતા વિવાદ થયો :આશ્રમવાસીઓ મુખ્યમંત્રીને કરશે રજૂઆત

 

અમદાવાદ:સાબરમતી સ્થિત ગાંધી આશ્રમમાં માનવસાધના ટ્રસ્ટ દ્વારા જમીન પર કબજો મેળવવા દીવાલ ઉભી કરાતા વિવાદ બાદ આશ્રમવાસીઓ દ્વારા સ્વેચ્છાએ દીવાલ તોડી પાડવામાં આવી છે. એવું કહેવાય છે કે માનવ સાધના ટ્રસ્ટ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના સબંધીનું હોવાના કારણે વિવાદ વધુ વકર્યો છે.

   અંદાજે 100 એકરમાં ફેલાયેલા સાબરમતી સ્થિત ગાંધીઆશ્રમમાં માનવસાધના ટ્રસ્ટ દ્વારા દીવાલ ઉભી કરવામાં આવતા વિવાદ સામે આવ્યો છે. આશ્રમવાસીઓનું માનવું છે કે મહાત્મા ગાંધી અહિંસા અને નાતજાતથી પર હતા અને તે મુદ્દે રાજકારણ થવું જોઈએ. જે રીતે માનવસાધના ટ્રસ્ટ દ્વારા લાગવગનો ઉપયોગ કરીને દીવાલ ઉભી કરવામાં આવી છે તે જોતા આવનાર દિવસોમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજુઆત કરવા આશ્રમવાસીઓ જશે.

100 એકરમાં ફેલાયેલી જમીનમાં અલગ અલગ સાત ટ્રસ્ટ કાર્યરત છે. જેમાં માનવસાધના ટ્રસ્ટ, હરિજન સેવક સંઘ, હરિજન આશ્રમ ટ્રસ્ટ કાર્યરત છે. જેમાં સૌથી વધુ માનવસાધના ટ્રસ્ટ દ્વારા 1000 થી 1200 વારનું બાંધકામ કરવામાં આવ્યું છે. ટ્રસ્ટના ટ્રસ્ટીઓનો ઈરાદો હતો કે દિવાલ બનાવીને આશ્રમને ટ્રસ્ટથી અલગ કરીને આવનારા દિવસોમાં વર્ચસ્વ ઉભું કરવું હેતુથી આશ્રમવાસીઓ દ્વારા ત્રિકમ પાવડા વડે દીવાલ તોડી પાડવામાં આવી છે

(9:34 pm IST)