Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

ઉમરગામના ગોવાડામાં ઢોર ચરાવવા ગયેલ મહિલા પર બળાત્કાર ગુજારી હત્યા કરી નાખતા ચકચાર

ઉમરગામ:તાલુકાના ગોવાડા ગામની ઢોર ચરાવવા ગયેલી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી છે. શનિવારે સાંજે ઢોર પરત ઘરે પહોંચી ગયા પણ મહિલા નહીં આવતા ભારે શોધખોળ બાદ આજે ચીકુવાડીમાંથી તેની લાશ મળી હતી. મહિલા પર બળાત્કાર થયો હોવાની આશંકાને પગલે સુરત સિવિલમાં ફોરેન્સીક પી.એમ. માટે લાશ મોકલવામાં આવી છે. પોલીસ સૂત્રો  પાસેથી મળતી વિગતો અનુસાર ઉમરગામ તાલુકાના અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા ગોવાડા ગામે પટેલ ફળિયામાં મુકેશ કેશવભાઇ કોળી પરિવાર સાથે રહે છે. ગઇકાલે મુકેશ કોળીની પત્ની દક્ષાબેન (ઉ.વ. ૪૦) બપોરે ૩-૩૦ કલાકે ઘરેથી ઢોરો લઇ ખેતરે ગયા હતા. સાંજે ઢોરો ઘરે પહોંચી ગયા હતા પણ દક્ષાબેન ઘરે નહીં પહોંચતા પતિ સહિત સંબંધીઓએ શોધખોળ શરૃ કરી હતી પરંતુ કોઇ ભાળ મળી ન હતી. શોધખોળ દરમિયાન આજે સવારે પટેલ ફળિયામાં આવેલી રમેશભાઇ પટેલની ચીકુવાડીમાંથી દક્ષાબેનની લાશ મળી આવતાં ચકચાર મચી હતી.
 

(4:58 pm IST)