Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

વલસાડના ઉમરગામ નગરપાલિકા વિસ્‍તારની દુકાનો તા.૧૭ મી સુધી બપોરે ૨ વાગ્‍યા સુધી જ ચાલુ રહેશે

વલસાડઃ ઉમરગામ તાલુકામાં વધી રહેલા કોરોનાના કેસોને લઇ ઉમરગામ નગરપાલિકામાં  વેપારી એસોસીએશનના પ્રમુખ અને દુકાનદારોની બેઠક ચીફ ઓફિસર સાથે યોજાઇ હતી. વૈશ્વિક મહામારી કોરાના સંક્રમણને ધ્‍યાને રાખી વેપારી એસોસીએશનના પ્રમુખ અને દુકાનદારોએ સરકારની ગાઇડલાઇન મુજબની સુચનાઓનું ચુસ્‍તપણે અમલવારી કરવા, ગ્રાહકોને સોશ્‍યલ ડીસ્‍ટન્‍સ જાળવવા, ફરજિયાત માસ્‍ક પહેરવા તેમજ તા.૦૭/૦૭/૨૦૨૦ થી ૧૭/૦૭/૨૦૨૦ સુધી દુકાનો સવારે ૮-૦૦ થી બપોરે ૨-૦૦ વાગ્‍યા સુધી જ ચાલુ રાખવા રાખનાર  છે. તેમ મામલતદાર ઉમરગામ  દ્વારા જણાવાયું છે.

(10:29 pm IST)