Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

મહુધાના ધંધોળીમાં કપિરાજનો આતંક:ત્રણ દિવસમાં ત્રણ શખ્સોને બચકતા ભરતા તંત્રએ પાંજરામાં પૂર્યો

મહુધા: તાલુકાના ધંધોળી ગામે કપીરાજે આતંક મચાવ્યો હતો.કપીરાજે છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ વ્યક્તિઓને બચકા ભરીને ઘાયલ કર્યો હતા.જેના કારણે ગામમાં ભયનો માહોલ છવાયો હતો.અંતે કપીરાજને વનવિભાગ દ્વારા રેસક્યુ કરીને પાંજરે પુરવામાં આવ્યો હતો.

ધંધોડી ગામમાં મુખ્યરસ્તાઓ ઉપર પસાર થતા ગ્રામજનોને એક વિફરેલો વાનર બચકા ભરતો હતો.જેથી ગ્રામજનોએ આ બનાવ અંગે મહુધા વન વિભાગને જાણ કરી હતી.જો કે કપીરાજે ત્રણ દિવસમાં ત્રણ વ્યક્તિઓ બચકાભરીને ઘાયલ કરવામાં આવ્યા હતા.જેમાં મુળજીભાઇ મોતિભાઇ પટેલને પગના ભાગે બચકા ભર્યો હતા.જેના કારણે મુળજીભાઇને ૩૨ જેટલા ટાકા લેવા પડયા હતા.

(5:14 pm IST)