Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

સોમવારે પ્રદેશ કોંગ્રેસ માળખાનું વિસર્જન ?

દેશના આઠ રાજ્યોમાં સંગઠન માળખુ વિખેરી નખાયુ છે ત્યારે હવે ગુજરાતમાં પણ કાર્યવાહી

રાજકોટ, તા. ૬ : લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલ કારમી પછડાટના ધરતીકંપ બાદ આફટશોકરૂપે રાષ્ટ્રીય પ્રમુખે રાજીનામુ આપ્યા બાદ દેશના આઠેક રાજયના પ્રદેશ મળાખાને વિખેરી નખાયા છે ત્યારે સંભવત સોમવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું માળખુ પણ વિખેરાઇ શકે છે.

અગાઉ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા ગુજરાતના માળખા અંગે આડકતરો નિર્દેશ કરી ચૂકયા છે અને આ અંગેના ઠરાવો પણ હાઇકમાન્ડને મોકલી દેવામાં આવ્યા છે ત્યારે ગમે તે ઘડીએ ગુજરાત પ્રદેશનું માળખુ વિખેરાઇ શકે તેવા સંકેતો વચ્ચે સંભવત સોમવારે આ અંગેની જાહેરાત થઇ શકે છે તેવું જાણકાર કોંગી વર્તુળોમાંથી જાણવા મળે છે.

મળતા અહેવાલો મુજબ રાષ્ટ્રીયકક્ષાએ પ્રમુખપદ માટેનો મુદ્દો લગભગ ઉકેલાઇ ગયો છે ત્યારે હવે સમગ્ર દેશમાં કોંગ્રેસના સંગઠન માળખાને નવુ કલેવર આપવાના ચક્રો ગતિમાન થયા છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની લોબીમાં ચર્ચાતી વિગતો મુજબ બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા આગેવાનો પર ભરોસો કરીને કોંગ્રેસ વધુ એકવાર નિરાશા અને દગાફટકા સહન કરવા પડયા છે જયારે હવે નિવડેલા અને વફાદાર-નિષ્ઠાવાન આગેવાનોને આગળ કરવામાં આવે તેવી જબરી ચર્ચા ખાનગીમાં ચાલી રહી છે.

(3:45 pm IST)