Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

અમદાવાદમાં સંસ્કૃત્સોવ કાર્યક્રમનું આયોજન થયું

૧૩મી જુલાઈએ ખાસ કાર્યક્રમ

અમદાવાદ,તા.૬: સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા આગામી તા. ૧૩મી જુલાઈ-૨૦૧૮ના રોજ અમદાવાદ ખાતે સંસ્કૃતોત્સવ ૨૦૧૮ કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ ખાતે સાંજે ૫-૦૦ કલાકે યોજાનાર આ સંસ્કૃતોત્સવ કાર્યક્રમમાં રાજ્યપાલ ઓપી કોહલી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સહકાર અને યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન આપશે. આ સમારોહમાં વર્ષ ૨૦૧૭-૧૮ અને વર્ષ ૨૦૧૮-૧૯ના સંસ્કૃત ભાષાના વેદ પંડિતોનું સન્માન, સંસ્કૃત સાહિત્ય ગૌરવ પુરસ્કાર, સંસ્કૃત યુવા ગૌરવ પુરસ્કાર અને સંસ્કૃત કુટુંબોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાશે. આ કાર્યક્રમમાં સાહિત્યકારો તથા સંસ્કૃત પ્રેમીઓને ઉપસ્થિત રહેવા અકાદમી દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.

(10:49 pm IST)