Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

આરોપ પાયા વગરના, બદનામ કરવાનુ કાવત્રુઃ પ્રદીપસિંહ જાડેજા

કોઈપણ વ્યકિત સંડોવાયેલી હોય તેને છોડવામાં નહિ આવે, પછી તે રાજકારણ સાથે સંકળાયેલી હોય કે પોલીસ સાથે

અમદાવાદ, તા. ૬ :. ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બીટ કોઈન મામલે શકિતસિંહ ગોહિલના આરોપોને પાયા વગરના ગણાવી માત્ર બદનામ કરવાના કાવત્રા રૂપ હોવાનું જણાવ્યુ હતું.

દેશભરમાં ગુજરાત અને ગુજરાત પોલીસને બદનામ કરવાની સાજીસ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર સક્રિય રીતે પારદર્શી અને નિષ્પક્ષ તપાસ કરી રહી છે. આ મામલામાં કોઈપણ વ્યકિત સંડોવાયેલી હોય તેને છોડવામાં નહિ આવે, પછી તે રાજકારણ સાથે સંકળાયેલી હોય કે પોલીસ સાથે.

(3:36 pm IST)