Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

સમસ્યાનો ઉકેલ લાવવા પ્રધાનોને કહેણ ;તમામ પ્રભારી મંત્રીઓને જિલ્લામાં પ્રવાસ કરવા રૃપાણીનો આદેશ

અમદાવાદ :રાજ્યમાં લોક સમસ્યાના ઉકેલ માટે પ્રધાનોને કામે લાગી જવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તમામ પ્રધાનોને કહ્યું છે આગામી લોકસભાની ચૂંટણી ને ધ્યાનમાં રાખી તમામ જિલ્લાઓની સમસ્યાઓનો ઉકેલ લાવવા સીએમ વિજય રૂપાણીએ પ્રધાનોને આદેશ કર્યો છે ઉપરાંત તમામ  જિલ્લાના પ્રભારી મંત્રીઓને જિલ્લાઓનો પ્રવાસ કરવા પણ કહેવાયું છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ  મંત્રીમંડળની મળેલ બેઠકમાં નિર્ણય કર્યો છે અને જરૂરી સૂચનો કર્યા હતા

(11:29 pm IST)