Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

કોરાના સંક્રમણથી બચવા વલસાડ જિલ્લા કલેકટર આર.આર.રાવલની જાહેર અપીલ

વેપારી/ધંધાર્થીઓ કાયદાનું પાલન ન કરે તો સખત કાર્યવાહી કરાશેઃસોમવારથી ચેકીંગ હાથ ધરાશે

વલસાડઃ કોરાના સંક્રમણને રોકવા લોકડાઉન કરવામાં આવ્‍યું  છે. પરિસ્‍થિતિને આધીન  અનલોક કરતા પ્રજાનો અવરજવર યુકત બન્‍યા છે. આપણે લોકડાઉન મુકત બન્‍યા છે પણ કોરોના મુકત બન્‍યા નથી. આપણી ગેરસમજ કોરોનાગ્રસ્‍ત બની શકે છે. વલસાડ જિલ્લાની પ્રજાજનોને કોરાનાના સંક્રમણથી બચવા માટે જિલ્લા કલેકટર આર.આર.રાવલે જાહેર અપીલ કરી છે કે, જિલ્લા તમામ લોકો ફરજિયાત માસ્‍ક પહેરે, સોશિયલ ડીસ્‍ટન્‍સ જાળવે, સેનેટાઇઝરનો ઉપયોગ કરે, હાથ વારંવાર ધુએ અને બિન જરૂરી ઘરની બહાર ન નીકળે.
વેપાર ધંધા કરતા તમામે પોતાની દુકાનની બહાર બોર્ડ મારવું ફરજિયાત છે. જેમાં કોરાનાના સંક્રમણથી બચવાના આવશ્‍યક પગલાંનો ઉલ્લેખ કરવો. ધંધાના સ્‍થળે ફરજિયાત સેનીટાઇઝર રાખવું સોશિયલ ડીસ્‍ટન્‍સનું ચુસ્‍ત રીતે પાલન થાય તેની તમામ જવાબદારી દુકાનદારની રહેશે. પોલીસ પેટ્રોલીંગ કે સક્ષમ સત્તાધિકારીના ચેકિંગ દરમિયાન  નિયમોનું પાલન ન થતું જણાશે તો દોષપાત્ર ગણી નિયમોનુસાર ધંધાનું લાયસન્‍સ મોકુફ કરવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્રના કોરોના નિવારક પગલાંમાં  પ્રજાજનોને સાથ અને સહકાર આપવા નમ્ર અપીલ કરવામાં આવી છે.
કડક પગલાંના ભાગરૂપે  જિલ્લા  વહીવટીતંત્ર દ્વારા અધિકારી/કર્મચારીઓની સ્‍કોર્ડ બનાવી તા.૦૮/૦૬/૨૦૨૦ થી ચેકિંગ હાથ ધરાશે. નિયમોનો ભંગ કે અનાદર થતો જણાશે તો, કાયદાકીય અનુસાર દંડ તથા દંડાત્‍મક કાર્યવાહી કરવામાં આવશે, જેની જાહેર જનતાને નોંધ લેવા પણ જણાવ્‍યું છે.

(6:52 pm IST)