Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

સુરતના સિટીલાઇટ રોડ નજીક પનાસ નહેરમાંથી અજાણ્યા યુવાનની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો:શ્રમજીવીને ઉંઘમાં રહેંસી નાખનાર બે મિત્રોની પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી

સુરત:સિટીલાઇટ રોડ પનાસ નહેરમાંથી અજાણ્યા યુવાનની હત્યા કરેલી લાશ મળી આવવાની ઘટનામાં જમવાનું બનાવવાના મુદ્દે ઝઘડો થતા શ્રમજીવીને ઉંઘમાં જ માથામાં બે ફટકા મારી રહેંસી નાંખનાર બે મિત્રોની ધરપક્ડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
બે દિવસ અગાઉ સિટીલાઇટ અણુવ્રત દ્વાર નજીક પનાસ નહેરમાંથી યુવાનની લાશ મળી આવી હતી. પોલીસ કંટ્રોલ રૂમના મેસેજના આધારે ઘટના સ્થળે પહોંચેલી ખટોદરા પોલીસે લાશનો કબ્જો મેળવી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં અજાણ્યા યુવાનને ગળું દબાવી અને માથાના ભાગે ઇજા થવાથી મોત થયાનું તબીબોએ જણાવ્યું હતું. જેના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી ગત રાત્રે બે હત્યારા રામસીંગ અર્જુનસીંગ ગૌડ (ઉ.વ. 60) અને જીતુ ઉર્ફે માધવ થાનુરામ દાસ (ઉ.વ. 22) ની ધરપક્ડ કરી છે. ઉલ્લેખનીય છે કે ભટારથી જમનાનગર તરફ જવાના રોડ પર બીઆરટીએસ રોડના ફૂટપાથ પર મૃતક વિકાસ, જીતુ અને રામસીંગ સાથે રહેતા હતા અને મજૂરી કામ કરતા હતા. ત્રણેક દિવસ અગાઉ હત્યાનો ભોગ બનેલો વિકાસ અને રામસીંગ વચ્ચે જમવાનું બનાવવાના મુદ્દે ઝઘડો થયો હતો. અગાઉ પણ રામસીંગ અને વિકાસ વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે વિકાસે રામસીંગને માર માર્યો હતો. જેથી વિકાસ જમ્યા બાદ સૂઇ ગયો ત્યારે ઉંઘમાં જ રામસીંગ અને જીતુએ લાકડાનો ફટકો માથામાં મારી રહેંસી લાશને નહેરના પાણીમાં ફેંકી દીધી હતી.

(5:27 pm IST)