Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

મંદિરો માત્ર દર્શન માટે ખુલશે : જુન-જુલાઇમાં મંદિરમાં કોઇ ઉત્સવ નહીં : વિરપુર જલારામ મંદિર ૧પ જુનથી ખુલશે..

તમામ ધાર્મિક સ્થળો અંગે ગુજરાત સરકાર આજે ગાઇડ લાઇન જાહેર કરશે.... : મુખ્યમંત્રીએ દરેક ધાર્મિક વડાઓ સાથે ચર્ચા કરી : મોટા મંદિરમાં ભકતોને ટોકન લિસ્ટમાંથી પ્રવેશ અંગેનું પણ સૂચન

રાજકોટ, તા. ૬ : મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં યોજાઈ રહેલી બેઠકમાં રાજયમાં મંદિર દેરાસર સહિતના ધર્મ સ્થાનકો આસ્થા કેન્દ્રોને ભારત સરકાર ની ગાઈડ લાઇન્સઙ્ગ મુજબ કેટલાક નિયમો ને આધિન રહીને દર્શન માટે ખુલ્લા મૂકવા અંગે મહત્વ પૂર્ણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.

મુખ્ય મંત્રીએ જિલ્લા મથકો એ રહેલા વિવિધ ધર્મ સંસ્થાઓના સંતો મહંતો સાથે વીડિયો કોન્ફરન્સથી આ સમગ્ર બાબતે ગહન ચર્ચાઓ હાથ ધરીને માર્ગ દર્શન આપ્યું હતું.

દરમિયાન રાજકોટ કલેકટર કચેરી ખાતે વીસીમાં ઉપસ્થિત જગવિખ્યાત વિરપુર પૂ. જલારામ બાપાના મંદિરમાંથી  ભરતભાઇ ચાંદ્રાણીએ મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી સાથે ચર્ચા કર્યા બાદ તેમણે જણાવેલ કે વિરપુર જલારામ ંદિર ૭પમીથી ખુલશે.

દરમિયાન મુખ્ય મંત્રીશ્રી એ કહ્યું કે મંદિરો માત્ર દર્શન માટે જ ખોલવામાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણ ની સ્થિતિમાં હજુ જૂન અને જુલાઈ માસ માં મંદિરોમાંઙ્ગ કોઈ ઉત્સવ ને પરવાનગી આપવામાં નહિ આવે.

તેમણે એવું પ્રેરક સૂચન કર્યું કે  મોટા મંદિરો ધર્મ સ્થાનકોમાં આવતા દર્શનાર્થીઓ ને ટોકન આપી ચોક્કસ સમય આપી દેવાય તેવી વ્યવસ્થા ગોઠવાય તો ભીડ ભાડ અટકાવી શકાશે.

દરમિયાન ગુજરાત સરકાર આજે સાંજે મંદિરો-ધાર્મિક સ્થળો ખોલવા અંગે કેન્દ્ર સરકારની આવેલ ગાઇડલાઇન મુજબ નવી ગાઇડલાઇન જાહેર કરશે, જે નિયમોને દરેક ધાર્મિક સંસ્થાનો-મંદિર મસ્જીદ -સર્ચ-ધાર્મિક સ્થળોની કમિટી-ટ્રસ્ટીઓ અનુસરવાનું રહેશે તેમ કલેકટર કચેરીના અધીકારી સુત્રોએ ઉમેર્યુ હતું.

આ વીસીમાં ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, તથા વરિષ્ઠા સચિવો  જોડાયા હતા.

જયારે રાજકોટ કલેકટર કચેરી ખાતે વીસીલમાં કલેકટરશ્રી, એડી. કલેકટરશ્રી ઉપરાંત વિરપુર જલારાબાપા મંદિરના શ્રી ભરતભાઇ, ચચૃના ફાધર, રાજકોટના મસ્જીદના મુસ્લીમ આગેવાનો, ઉપલેટાના મુસ્લીમ આગેવાનો વિગેરે જોડાયા હતા.

(3:38 pm IST)