Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

સુરતના પાંડેસરમાં લગ્નપ્રસંગમાં વિજકરંટ લાગવાથી ૯ વર્ષની બાળાનું મોત

સુરતઃ સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ વાલ્મીકી આવાસમાં આ બનાવ બન્યો હતો. આ આવાસમાં એક યુવકના લગ્ન હતા, જેની પીઠીનો પ્રસંગ ઉજવાઈ રહ્યો હતો ત્યારે આવાસમાં જ રહેતી ૯ વર્ષની પ્રિયંકા ખેરનાર નામની બાળકી અન્ય બાળકો સાથે રમી રહી હતી ત્યારે લગ્ન પ્રસંગ હોઈ લોખંડના પોલ પર ફોકસ લાઈટ લગાવવામાં આવી હતી. રમતગમતમાં પ્રિયંકા ખેરનાર ફોકસ લાઈટને અડી ગઈ હતી. બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પીટલ લઈ જવાઈ હતી પણ સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યુ હતું. આ ઘટનામાં પ્રિયંકાનું મોત નિપજ્યુ હતુ, તો અન્ય બે બાળકોને પણ કરંટ લાગ્યો હતો. ઘટના બાદ પોલીસ તપાસ શરૂ કરી હતી. આમ લોકોની નિષ્કાળજીનો ભોગ એક માસુમ બાળકી બની હતી, તો બીજી તરફ લગ્નના પ્રસંગ વચ્ચે દુઃખની લાગણી છવાઈ ગઈ હતી.

(5:20 pm IST)