Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

કચરાના ઢગ દૂર કરી સ્વસ્થ ગુજરાતનું નિર્માણ કરાશે

સાણંદના લોકોને ડસ્ટબીન-ઇકોબેગનું વિતરણ કરાયું: રાજ્યના ૪૦૦ મોટા શહેરોમાં બહાર કચરો ફેંકવા પર દંડાત્મક કાર્યવાહી કરવા ગુજરાત સરકાર વિચારાધીન

અમદાવાદ,તા.૬: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન દરમ્યાન રાજયમાં કચરાના ઢગલાઓ દૂર કરી સ્વસ્થ-તંદુરસ્ત ગુજરાતના નિર્માણ સંકલ્પબધ્ધતા વ્યકત કરી છે. વિશ્વ પર્યાવરણ દિવસ પાંચમી જૂનથી ૧૧ જૂન દરમ્યાન રાજયમાં યોજાઈ રહેલા પર્યાવરણ સ્વચ્છતા અભિયાન તહેત મુખ્યમંત્રીએ આજે અમદાવાદના સાણંદમાં માર્ગોની સફાઈ કરીને શ્રમદાન કર્યુ હતુ. વિજયભાઈ રૂપાણીએ એવો પણ સંકેત આ અવસરે આપ્યો હતો કે, રાજયમાં ૪૦૦ જેટલો મોટા શહેરો-નગરોમાં કચરો બહાર ફેંકવા સામે દંડાત્મક કાર્યવાહી કરવાની દિશામાં પણ રાજય સરકાર વિચારાધિન છે. તેમણે કહ્યુ કે, કોઈ પણ વ્યકિત જાહેરમાં કચરો ન ફેંકે તે માટે સમજણ અને જનજાગૃતિ આ અભિયાન અંતર્ગત જણાવવામાં આવશે ૫૧ હજાર જેટલી શણની થેલીઓ-જયૂટ બેગ્સનું વિતરણ પણ આ અભિયાનના સપ્તાહ દરમ્યાન કરાશે. મુખ્યમંત્રીએ સાણંદ નગરના બસમથક પાસે ડો. સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પૂષ્પાંજલિ અર્પણ કરીને સાણંદ નગરપાલિકાના આ સ્વચ્છતા  અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે સ્વચ્છતાવે સ્વભાવ બનાવીને અન્યોને પણ તે માટેની પ્રેરણા પૂરી પાડવાની નિતાંત આવશ્યકતા સમજાવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, સાણંદ ઉધોગને આધારે સમગ્ર વિશ્વમાં જાણીતું શહેર બન્યુ છે ત્યારે સાણંદની સ્વચ્છતાને પણ વિદેશના લોકો આવકારે તેવું ચોખ્ખુ ચણાક બનાવવું છે. સાણંદને સ્વચ્છ રાખવા માટે ૮ હજાર ડસ્બિનનું પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતુ તેની તેમણે પ્રશંસા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ગાંધીજીની ૧૫૦ જન્મ જયંતિના ઉપલક્ષ્યમા સ્વચ્છ ભારત મિશન  ઉપાડયુ છે તેને આગળ વધારતા ભારત સંસ્કુત અને સ્વચ્છ દેશ છે તેવી છબી ઉજાગર કરવામાં ગુજરાત અગ્રેસર રહેશે તેની ભૂમિકા પણ તેમણે આપી હતી. વિજયભાઈ રૂપાણી જણાવ્યુ હતુ કે,પ્લાસ્ટિક વિકાસનું મટિરિયલ છે પરંતુ ૫૦ માઈકોનથી નીચેનું પ્લાસ્ટિક જળ, જમીન બગાડવા સાથે પર્યાવરણ પણ બગાડે છે તેથી પ્લાસ્ટિકનો વિવેકપૂર્ણ ઉપયોગ અર્નિવાય છે આજે નહિ તો કાલે આ પણ સમજવું પડશે તો આજે જ તેની જરૂરિયાત સમજી શા માટે અમલ ન કરવો ? તેમણે ઉમેર્યું કે કચરો નહી હોય તો ગંદકીથી થતા રોગ પણ અટકશે અને સ્વચ્છ તંદરસ્ત ભાવિ પેઢીનું નિર્માણ કરી શકાશે. સાણંદ નગરપાલિકા પ્રમુખ રક્ષાબેન પરમારે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યુ કે પર્યાવરણ જાગૃતુ કોઈ વ્યકિતગત જવાબદારી નથી પરંતુ આપણા સૌની સામુદાયિક જવાબદારી છે સાણંદના નગરજનોને પ્લાસ્ટિક મૂકત સાણંદ  બનાવવા માટે તેમણે અનુરોધ કર્યો હતો. આ સ્વચ્છતા અભિયાન અવસરે ધારાસભ્ય કનુભાઈ, પૂર્વ સંસદ સભ્ય રતિલાલ વર્મા, જિલ્લા ભાજપ પ્રમુખ આર.સી.પટેલ, પૂર્વ ધારાસ્ભ્ય કરમશીભાઈ જિલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે, જિલ્લા વિકાસ અધિકારી એ.એમ.બાબુ , વરિષ્ઠ પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:07 pm IST)