Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

વડોદરાના કારેલીબાગમાં મકાનમાં આગ લાગી ;પરિવારજનો બહાર દોડી ગયા :વૃદ્ધને ઊંચકીને બહાર લઇ જવાયા

 

વડોદરા:શહેરના કારેલીબાગ બુધ્ધદેવ કોલોનીમાં આવેલી 43, વિષ્ણુકુંજ સોસાયટીમાં આર.પી.પટેલ નામના વ્યક્તિ પરિવાર સાથે રહે છે. આજે  તેમના મકાનના બેડરૂમમાં અચાનક આગ લાગતા પરિવારજનો આગથી બચવા માટે ઘરની બહાર દોડી આવ્યા હતા. મકાનમાં આગ વધુ પ્રસરે તે પહેલાં જ પરિવારજનોએ મકાનના રૂમમાંથી વદ્ધને ઉંચકીને બહાર લઇ આવ્યા હતા.

 

   આ બનાવની જાણ ફાયરબ્રિગેડને કરાતા લાશ્કરો સ્થળ પર દોડી આવી પાણીમારો ચલાવી આગને કાબૂમાં લઇ લીધી હતી. આગમાં કોઈ જાનહાની ન થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ મોટુ આર્થિક નુકશાન થયું હોવાનો અંદાજ સેવાઇ રહ્યો છે

(9:27 pm IST)