Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

સુરતના વરાછામાં એમ્બ્રોડરીના વર્કના બહાને 47.54 લાખની ઠગાઈ આચરી બે કારખાનેદાર છૂમંતર

સુરત: વરાછા અશ્વનીકુમાર રોડ દિવ્ય વસુંધરા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કારખાનું ધરાવતા બે વેપારી પુણાનાં એમ્બ્રોઈડરી જોબવર્ક કરતા વેપારી પાસે રૃ. ૪૭.૫૪ લાખનું એમ્બ્રોઈડરી જોબવર્ક કરાવી પેમેન્ટ ચૂકવ્યા વિના પોતાનું કારખાનું બંધ કરી ફરાર થઈ ગયા હતા. પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, પુણાગામ મેઈનરોડ નારાયણ નગર એ-૬૨ માં રહેતા અલ્પેશભાઈ ગોરધનભાઈ સાવલીયા એમ્બ્રોઈડરી જોબવર્કનું કામ કરે છે. ગત જાન્યુઆરી ૨૦૧૭ માં અશ્વનીકુમાર રોડ પટેલ નગર દિવ્ય વસુંધરા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતા નં. એ-૨૮ માં અક્ષર આર્ટના નામે ચણીયાચોળી બનાવતા બે વેપારી પ્રવિણભાઈ મેઘજીભાઈ જેતાણી (રહે. બી-૨૦૨, સંગમ એપાર્ટમેન્ટ, સી.કે. પાર્ક, અશ્વનીકુમાર રોડ, વરાછા, સુરત) અને મિતુલભાઈ પ્રભુદાસ સાગર (પટેલ) (રહે. બી-૭૦૧, નીલકંઠ રેસીડેન્સી, ન્યુ કોસાડ ક્રોસ રોડ, અમરોલી, સુરત. મૂળ રહે. જૂનાગઢ) અલ્પેશભાઈને મળ્યા હતા.

(6:13 pm IST)