Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

સાણંદના રાજવી પરિવારની મુલાકાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારને સફળતાપૂર્વક ચાર વર્ષ પુર્ણ થયાના ઉપલક્ષ્યમાં સમગ્ર દેશમાં સંપર્ક અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત મુખ્ય મંત્રીશ્રી આજે સાણંદના દરબારગઢ ખાતે  સાણંદ રાજવીના વંશજ એવા શ્રી જયશીવસિહજી રૂદ્રદત્તસિંહજી વાઘેલા અને તેમના પરિવારની મુલાકાત લીધી હતી. 

મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્ર સરકાર દ્વારા પાછલા ૪ વર્ષમાં અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓ અને તેના જનસામાન્યને મળેલા બહુવિધ લાભો તથા ભારત માતાને શ્રેષ્ઠતાના શિખરે બિરાજીત કરતી વિવિધ  સિધ્ધીઓની શ્રી રાજવી પરિવારને જાણકારી આપી હતી.

(4:56 pm IST)