Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ઋષિકેષ ગંગાને કિનારે વોટર બ્લેસીંગ સેરેમની ઉજવતા : એસજીવીપી ગુરૂકુલના સંતો

ઋષિકેષ તા.૬ ઋષિકેષ ગંગાને કિનારે, શ્રી સ્વામિનારાયણ આશ્રમ ખાતે, મેમનગર ગુરુકુલ દ્વારા શામજી ભગતના માર્ગદર્શન પ્રમાણે યોજાયેય પંદર દિવસીય શિબિરની પૂર્ણાહૂતિની પૂર્વ સંધ્યાએ, આજે જયારે સમગ્ર વિશ્વ પાણી, પર્યાવરણ અને વૃક્ષોનું નિકંદનના દુષ્પરિણામોથી પીડાય છે ત્યારે ઋષિકેશ પરમાર્થ નિકેતનના અધ્યક્ષ સ્વામી મુનિજી મહારાજ અને મેમનગર ગુરુકુલના પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી વિશ્વના પ્રતિક રૂપે પૃથ્વીના ગોળાને ગંગાજળથી અભિષેક કરી, અમો પાણી, પર્યાવરણ અને વૃક્ષોના રક્ષણનું અભિયાન ઘર ઘર સુધી પહોંચાડીશું એવી પ્રતિજ્ઞા કરી વોટર બ્લેસીંગ સેરેમની ઉજવી રહ્યા છે.

(4:20 pm IST)