Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

તુવેર, ચણા, રાયડાની ટેકાના ભાવે ખરીદી તા. ૧૨મી સુધી સ્થગિત

તુવેરની ખરીદીનો સમય પુરો થઈ ગયો છે, કેન્દ્ર દ્વારા મુદત લંબાવવાની મંજુરી મળે તો જ ફરી ખરીદી શરૂ થશે

રાજકોટ, તા. ૬ :. રાજ્ય સરકારના નાગરિક પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે થતી ખરીદી સ્થગિત કરવાનો સમય તા.૧૨ મે સુધી લંબાવવામાં આવેલ છે. આંશિક લોકડાઉનના કારણે તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી તા. ૧૨ સુધી બંધ રહેશે. આ અંગે ખેતી નિયામકે નિગમને પત્ર પાઠવ્યો છે.

તુવેર પાકની ખરીદીની મુદત તા. ૧ મેએ પુરી થઈ ગઈ છે. તા. ૨૩ એપ્રિલથી ખરીદી બંધ છે. કેન્દ્ર સરકાર તરફથી સ્થગિત સમયગાળાની ખરીદી માટે મુદત લંબાવવાની મંજુરી મળ્યા બાદ જ તુવેરની ટેકાના ભાવે ખરીદી થઈ શકશે.

(3:56 pm IST)