Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

ડેશ બોર્ડના માધ્યમથી મોરારિબાપુ, રમેશભાઇ ઓઝા, કેશુભાઇ સાથે ચર્ચા કરતા વિજયભાઇ

કોરોના સંદર્ભના પગલાથી વાકેફ કરી માર્ગદર્શન માગ્યું

રાજકોટ તા. ૬: ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ સંદર્ભે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કથાકાર મોરારિબાપુ, રમેશભાઇ ઓઝા, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, રામાયણ સીરીયલના અભિનેત્રી દીપકા ચીખલીયા (સીતા) વગેરે સાથે સી. એમ. ડેશ બોર્ડના માધ્યમથી વાત કરી હતી. ગઇકાલની સ્થિતિએ ગુજરાતમાં કુલ ૧રર કેસ નોંધાયા હતા. જે પૈકી ૪પ એટલે રાજયમાં સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાંથી નોંધાયો તે સિવાય રાજયમાંથી નોંધાયેલા કુલ કેસમાંથી ૧ર.૦૪% સુરતમાં, ૧ર.૦૪% ગાંધીનગરમાં, રાજકોટમાં ૯.ર૬%, વડોદરામાં ૮.૩૩% ભાવનગરમાં ૮.૩૩%, પોરબંદરમાં ર.૭૮%, ગીર સોમનાથમાં ૧.૮પ%, કેસનો મુખ્યત્વે સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએઢ મહાનુભાવોને આંકડાકીય માહિતીથી વાકેફ કર્યા હતા.

(4:23 pm IST)