Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

અમદાવાદનું સ્‍ટેડીયમ દર્શકોથી ખીચોખીચ ભરી દેવાશે

નરેન્‍દ્રભાઈ મોદી અને ઓસ્‍ટ્રેલીયાના વડાપ્રધાન એન્‍થોની એલ્‍બનીજ મેચ નિહાળવવાના હોય

રાજકોટઃ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી  ૯ માર્ચના રોજ અમદાવાદના નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમ ખાતે ઓસ્‍ટ્રેલિયાના પીએમ સાથે ક્રિકેટ મેચ નિહાળશે. જેને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

અમદાવાદમાં ભારત-ઓસ્‍ટ્રેલિયા વચ્‍ચે ટેસ્‍ટ મેચ રમાવાની છે.  સ્‍ટેડિયમ ભરવા માટે ભાજપના તમામ કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવશે. સૌપ્રથમવાર ટેસ્‍ટ મેચ દરમિયાન સ્‍ટેડિયમ ક્ષમતા પ્રમાણે આખુ ભરાશે.૧.૧૦ લાખ દર્શકોની ક્ષમતા ધરાવતું સ્‍ટેડિયમ સંપૂર્ણ ભરાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સિરીઝની છેલ્લી ટેસ્‍ટ મેચને ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અને ઓસ્‍ટ્રેલિયાના વડાપ્રધાન એન્‍થોની એલ્‍બનીજ સાથે જોશે. આ મેચ અમદાવાદના નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમમાં રમાશે.

(4:38 pm IST)