Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

ચેકડેમોની મરામત કરાશે, તળાવો ઉંડા ઉતારાશે : ૧ એપ્રિલથી રાજ્યવ્યાપી અભિયાન

ખેડૂતોને માટી વિનામૂલ્યે મળશે : જળસંગ્રહ ક્ષમતા વધશે : વિજયભાઇનો નિર્ણય

ગાંધીનગર,તા. ૬: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતને પાણીદાર-વોટર સરપ્લસ સ્ટેટ બનાવી જળ સમૃદ્ઘ ગુજરાતની પ્રતિબદ્ઘતા સાથે શરૂ કરાવેલા સુજલામ સુફલામ જળ અભિયાનનો ચોથો તબક્કો તા.૧ એપ્રિલ-ર૦ર૧ થી શરૂ થશે.

મુખ્યમંત્રીશ્રીએ રાજયના જળસંપત્ત્િ। વિભાગને આગામી તા.૧ એપ્રિલ-ર૦ર૧થી તા.૩૧-પ-ર૦ર૧ દરમ્યાન આ રાજયવ્યાપી અભિયાન  હાથ ધરવા મંજૂરી આપી છે.

આ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જળસંગ્રહના મહત્વના કામોમાં તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમના ડિસીલ્ટીંગ અને રિપેરીંગ, હયાત જળાશયોનું ડિસીલ્ટીંગ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, નહેરોની સાફસફાઇ, મરામત-જાળવણી તેમજ નદી, વોકળા, કાંસની સાફસફાઇને નદી પૂનૅં જિવીત કરવી જેવા વિવિધ કામો હાથ ધરવામાં આવે છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ર૦૧૮ના વર્ષથી રાજયમાં શરૂ કરાવેલા આ જળ સમૃદ્ઘિ અભિયાન સુજલામ-સુફલામ જળ અભિયાન અન્વયે છેલ્લા ૩ વર્ષમાં રાજયભરમાં જળસંગ્રહ સ્ત્રોતની સાફ-સફાઇ અને વૃદ્ઘિ કરવાના કામોમાં ૧૬,૧૭૦ તળાવો ઊંડા કરવામાં આવ્યા છે

એટલું જ નહિ, ૮૧૦૭ ચેકડેમ અને ૪૬ર જળાશયોના ડિસીલ્ટીંગ, રર૩૯ ચેકડેમના રિપેરીંગ, પ૬૮ નવા તળાવોનું નિર્માણ અને ૧૦૭૯ નવા ચેક ડેમ મળીને સમગ્રતયા ૪૧,૪૮૮ કામો કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ૩૮,૩ર૩ કિ.મી. લંબાઇમાં નહેરોની અને પ૧૧૩ કિ.મી. લંબાઇમાં કાંસની સફાઇ કરવામાં આવેલી છે. આ બધા જ કામોની સફળતાને પગલે છેલ્લા ત્રણ વર્ષમાં રાજયમાં ૪ર,૦૬૪ લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધી છે.

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત થયેલા આ કામો અને સારા વરસાદને પગલે રાજયમાં વિશાળ જળસંગ્રહ થવાથી ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવ્યા છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના પ્રેરણા માર્ગદર્શનથી શરૂ થયેલા આ અભિયાનના કામોની રાષ્ટ્રીયસ્તરે નોંધ લઇ ગુજરાતના આ અભિનવ પ્રયોગને બિરદાવવામાં આવ્યો છે

મુખ્યમંત્રીશ્રીએ ર૦ર૦ના વર્ષમાં કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે પણ આ જળસંગ્રહ અભિયાન માટે રાજય સરકારના તંત્રને પ્રોત્સાહિત કરતાં તા.ર૦ એપ્રિલ-૨૦૨૦થી તા.૧૦ જૂન-ર૦ર૦ સુધીના માત્ર પ૧ દિવસના ટુંકાગાળામાં સુજલામ સુફલામ જળ અભિયાનના ત્રીજા તબક્કામાં ૧૧,૦૭ર કામો લોકભાગીદારીથીઅને મ. ન.રે.ગા હેઠળ હાથ ધરીને ૩૦ લાખથી વધારે માનવદિન રોજગારી ઉત્પન્ન કરવામાં આવી હતી 

હવે આ અભિયાનનો ચોથો તબક્કો તા. ૧ એપ્રિલ-ર૦ર૧થી તા.૩૧ મે-ર૦ર૧ દરમ્યાન રાજયભરમાં યોજાવાનો છે

સુજલામ સુફલામ જળ અભિયાનના કામો અંતર્ગત ખોદાણમાંથી મળતી માટીનો વપરાશ આસપાસના પ્રગતિ હેઠળના સરકારી કામો, ખેડૂતોના ખેતરમાં તેમજ જાહેર કામોમાં કરવામાં આવશે અને આ માટીના વપરાશ બદલ કોઇ પણ રોયલ્ટી ખેડૂતોએ ચુકવવાની રહેશે નહિ.

મુખ્યમંત્રીશ્રીએ એવા સ્પષ્ટ દિશાનિર્દેશો પણ આપેલા છે કે, આ સુજલામ સુફલામ જળઅભિયાન-૪ ના કામોમાં કોવિડ-૧૯ કોરોના વાયરસ સંદર્ભે સરકાર દ્વારા આપવામાં આવતી સૂચનાઓ, માર્ગદર્શિકાઓ તેમજ ભવિષ્યમાં પણ આ અંગે અપાનારી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

(1:17 pm IST)