Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

નર્મદા મૈયાના ખોળામાં ગજાનન આશ્રમ ખાતે ૯ થી ૧૩ સુધી શ્રીધનકુબેર મહાયજ્ઞ

ગજાનન આશ્રમ માલસર નર્મદા મૈયાના કિનારે તા.૯/૩થી ૧૧/૩ સુધી શ્રી ધનકુબેર મહાયજ્ઞનું આયોજન કરાયું છે. નર્મદા મૈયાના ખોળામાં ધર્મ સંસ્કૃતિ સંસ્કારોને જીવંત રાખતું અને ધર્મની ધ્વજા ફરકાવતું રાષ્ટ્રવાદની પ્રવૃતિને વેગ આપતા ધામ તરીકે ગજાનન આશ્રમ માલસર ઓળખાય છે. ગજાનન આશ્રમના ગુરૂજી અને માતાજી આ મહાયજ્ઞની યજમાની કરશે. આશ્રમના મેનેજર હિમતભાઇ જોષી, સુધીરભાઇ પટેલ, શાસ્ત્રી ઉદય પ્રસાદ, શાસ્ત્રી ચિરાગ પંડ્યા આ ધર્મકાર્યની જવાબદારી સંભાળી રહ્યા છે.

(11:46 am IST)