Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

અકસ્માતના ગૃહમાં પડઘા

ગાંધીનગર તા.૬ : આજે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કામ પૂર્ણ થયા બાદ મહુવાના ધારાસભ્ય આર.સી.મકવાણાએ મુદો, ઉપસ્થિત કરતા જણાવ્યું કે એ ખુબજ મોટો અને ગંભીર બનાવ બન્યો છે જેમાં ૩૦ લોકોના મૃત્યુ થયા છે તો આ માટે સરકારે શું વ્યવસ્થા કરી છે.

આ પ્રશ્નના ઉતરમાં રાજયગુરૂ મંત્રીએ જણાવ્યું કે સરકાર પોતે ખુબ ચિતિથ છે. રઘોળા ગામના ગ્રામજનો દ્વારા સ્થળ ઉપર પહોંચી સેવાવત કામગીરી આરંભી હતી આ ઉપરાંત મેડિકલ ડોકટરો અને સ્ટાફ તેમજ ૧૦૮ એમ્યુલન્સ અને પોલીસ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે ર૬ લોકો સ્થળ ઉપર જ મૃત્યુ થયા હતા અને ૪ ઇજાગ્રસ્તો ઘટના સ્થળથી હોસ્પિટલમ જતી વખતે મૃત્યુ પામ્યા છે.

સરકારનું વહીવટી તંત્ર સંપૂર્ણ પણ સ્થળ ઉપર હાજર છેઅને જરૂરિયાત મુજબની તમામ સેવાઓ આપવામાં આવી રહી છેતમામ મૃતકોના પરિવારોને ૪.પ૦ લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

(4:19 pm IST)